કૃપા જ્યાં છે, શાંતિ ત્યાં છે. ભક્તિ જ્યાં છે, ભગવાન ત્યાં છે.

જ્યાં શિવ છે, ત્યાં મંગલ છે. જ્યાં ભક્તિ છે, ત્યાં મોક્ષ છે

Know History of the Pipleshwar Mahadev Temple /પીપળેશ્વર મહાદેવ મંદિરનો ઇતિહાસ જાણો

Shree Pipleshwar Mahadev in Korda
Shri Pipleshwar Mahadev Korda
Pipleshwar Mahadev Temple
Shri Pipleshwar Mahadev Mandir

Shree Pipleshwar Mahadev Korda / શ્રી પીપળેશ્વર મહાદેવ, કોરડા

કોરડા ગામ કાનાબાર (સેજાણી), ગણાત્રા પરિવાર,પાયાપટેલ પરિવારો,કોરડીયા સોની પરિવારો તથા નુખ પરિવારના કુળદેવી શ્રી પીપળેશ્વર મહાદેવજી મંદિર કોરડાનો ઇતિહાસ

લોહાણા(કાનાબાર)(સેજાણી)પરિવારની ૮૩મી પેઢીએ સેદેવદાદા તે મુળ કાઠીયાવાડના મૂળી ગામના વતની મુળીથી દાદા સેદેવ પાલનપુર એજન્સીના વારાહી તાલુકાના કોરડા ગામે આવીને રહ્યા પણ તે કાનાબાર કુટુંબનું એક જ પાંખીયુ આવ્યું બાકી કાઠીયાવાડ, વિગેરે ઠેકાણે કાનાબારની મોટી વસ્તી છે તેમાં કાનાબાર કુટુંબની શાખા વાંસણી પણ છે. આ તરફ આવેલું પાંખીયુ કુળદેવી તરીકે અમુક દેવીને તે નામ યાદ નથી પુજતુ હતુ ત્યાં નાના છોકરાને વાળ(બાબરી) ઉતારવતા ઘઉંમગની ખીચડીનું જમણ થતું હતું.

કોરડા આવ્યા પછી દાદા સદેવને સ્વપ્રમાં શ્રી મહાદેવજીએ આવીને કહ્યુ કે કોરડા ગામ બહાર પીપળાનું થડ છે તેના ઉપર ગાય દરરોજ દુધ જરી જાય છે. તેમને તમો અને તારા વંસજો પીપળેશ્વર મહાદેવજી તરીકેમાનજો અને પીપળાના થડ ઉપર મારુ દેરૂ ચણાવજો તે ઉપરથી પીપળાના થડ ઉપર દાદા સેદેવે દેર ચણાવેલું અને છોકરાના જન્મના પાંચ બ્રાહ્મણ જમાડવાનો ઠરાવ કયા જયાં સુધી જન્મના પાંરા, પરણ્યાના પાંચ,ત્યા જનોઈ ના પાંચ મળી કુલ પંદર બ્રાહ્મણ જમાડી પીપળેશ્વર મહાદેવ પાસે મોડીયા નઉતાર્યો હોય ત્યાં સુધી પરણેલી જોડી(યુગલ)દેરા ઉપર ચડી દર્શન નહીં કરતા નીચે ઉભા રહી સામેથી પગે લાગે છે (દર્શન કરે છે.)

સ્વપ્નમાં સેદેવ પ્રદાને મહાદેવજી એ કહેલુ કે તારે ફલાણા કોળી પાસે (નામ યાદ નથી) લેણું છે અને તેની આ જમીન છે લેણા પેટે તને આ જમીન ઢોર તથા ચારના અખાડા આવશે.

તે લઇ તેનું વ્હેણુ તુ મેંડી વાળી તેજમીનમાં મારૂ દેરૂ ચણાવજે તે મુજબ કોરડા ગામની બહાર પીપળાના થડ ઉપર દૈરૂ ચણાવેલુ વખત જતાં ત્યાં પુષ્કળ ખાર હોઈ ખરડો કરી આ દેરૂ પહેલાથી નાના પ્રમાણમાં ચણાવેલ જે હયાત હતું પરંતુ તે મંદિરને ખાર લાગતાં કોરડા ગામના લોહાણા ભાઈઓએ હારીજ ભાઈ દયાલજી ડાસજીનો સંપર્ક સાધી હારીજમાંથી ભાઈ દયાલજીએ પોતાની સારી લાગવગથી બજારમાંથી સાર પ્રમાણમાં ખરડો કરાવી આપ્યો તે સિવાય કોરડાના લોહાણા ભાઈઓએ જે આપી શકે તેવા કાના- બાર કુટુંબોમાંથી તથા બીજા લોહાણા ભાઈઓએ પાસેથી ખરડો ઉઘરાવી આ મંદિરને ફેર મરામત કરાવી તથા મંદિરને ફરતો વરંડો પણ કરાવ્યો વરંડાનો પાયો ખોદતાં મુસ્લીમ અમલના વટલાવલાના ત્રાસના કારણે ત્યાંના બ્રાહ્મણો મુર્તિઓ દેરા પાસે દાટીને નાસી છુટેલા તે મૂર્તિઓ વરંડાનો પાયો ખોદતાં નીચેથી નીકળી (સંવત ૧૯૮૦ આસપાસ)તે મુર્તિઓ ગામના મંદિરમાં પધારવવામાં આવી હતી હાલે તે મુર્તિઓનાં મંદિરમાં દર્શન થાય છે વસ્તરેલી વૃધ્ધિ થતાં કાનાબાર નું સેજાણી કુટુંબ આસપાસના ગામોમાં ફેલાણુ તેમાં ડોસજી મોહન લોલાડા તથા વારાહીમાં મોતીલાલ રૂગનાથ જેતશી, માવજી જેતશી, ભોજા ખેતશી, વારાહીમાં પચાણ વસરામ પાંખીયુ યરા તરફ જેવત પાંખીયુ કોલાડામાં, પરમજીપાખીયુ કોટડા (દિયોદર) ગૌસેંણ રકુડીયા તેરવાડા, રૂવેલ, ટોટાણા, દેવકાપડી વિગેરે ગામોમાં પથરાયુ છે.

The history of the Shree Pipleshwar Mahadev in Korda, the Kuldevi (family deity) of the Ganatra family, Payya families (Patel), Kordia Soni families, and the Kanabar (Sojani) family:

The Kanabar (Sojani) family of the Lohana community traces its lineage back to 83 generations, with the forefather being Sedev Dada, originally from the village of Muli in Kathiawar. From Muli, Dada Sedev moved to the village of Korda in the Varahi taluka of the Palanpur agency. However, only one branch of the Kanabar family migrated to Korda, while the larger population of Kanabar families remained in other places, such as Kathiawar. There is also a branch of the Kanabar family in Vanshni.

This migrated branch worshiped a certain Goddess as their Kuldevi, whose name is not recalled. They used to offer food made of wheat and serve a dish called "khichdi" (a mixture of rice and lentils) when a young boy's hair was first cut (Babar ceremony).

After arriving in Korda, Dada Sedev had a vision in which Lord Mahadev appeared to him and told him that there was a pipal (sacred fig) tree outside the village where a cow would regularly pour her milk. The Lord instructed him and his descendants to worship this spot as Shri Pipleshwar Mahadev and to construct a shrine on the pipal tree's trunk. Following this vision, Dada Sedev built a shrine there, and it became customary to feed five Brahmins whenever a child was born, during thread ceremonies (Janoi), and at marriages. The total of fifteen Brahmins would be fed, and until they had partaken in the offerings at Shri Pipleshwar Mahadev, the newlywed couple would not climb up to the shrine for darshan (worship) but would stand below and pay their respects from there.

In another vision, Lord Mahadev told Sedev Pradhan that he had a debt owed by a certain Koli who owned a piece of land. The Lord instructed Sedev to collect his debt in the form of that land, which would be enough for a cattle pen and four enclosures. As instructed, Sedev acquired the land and built a shrine for Lord Mahadev on the pipal tree.

Over time, the shrine was affected by salinity in the area, so the Lohana community of Korda reached out to Harij Bhai Dayalji Dasji in Harij for assistance. Harij Bhai, using his good connections, managed to procure high-quality materials for the shrine's renovation, along with contributions collected from the Kanabar families and other Lohanas. The renovated shrine was also expanded with a surrounding verandah. While digging the foundation for the verandah, they uncovered idols buried during the Muslim reign by Brahmins who had fled in fear. These idols, found around 1924, were later installed in the temple where they are still worshipped today.

As the Kanabar family grew, they spread to surrounding villages. The Sejani branch of the Kanabar family settled in nearby villages, including Dosji Mohan in Lolada, Motilal Rughunath Jetshi, Mavji Jetshi, and Bhoja Khetshi in Varahi, Pachhan Vasram’s branch in Yera, Jevat’s branch in Kolada, Paramji's branch in Kotda (Diyodar), and others in Gaussen, Rukadiya, Terwada, Ruvel, Totana, and Devkapadi.

Daily Devotion Time / દૈનિક ભક્તિનો સમય

Aarti Timings / આરતીના સમય

શ્રી પીપળેશ્વર મહાદેવ મંદિરમાં દરરોજ શિવજીની આરાધના માટે આરતીનું વિશેષ મહત્વ છે. પ્રભાતે શરૂ થતી શિવલિંગની પૂજા અને અભિષેક પછી ભક્તિપૂર્વક પ્રભાત આરતીનું આયોજન થાય છે, જે પવિત્ર મંત્રોચ્ચાર અને દિવ્ય વાતાવરણ સાથે મનને શાંતિ આપે છે.

Morning Aarti (પ્રભાત આરતી): 8:00 AM
શિવજીના દિવસની શરુઆત પ્રભાત આરતીના પવિત્ર મંત્રો અને દિવ્ય ઊર્જાથી કરો. આ આરતી ભક્તિપૂર્વક શરુ થાય છે અને તમામ ભાવિકોને શિવજીના આશીર્વાદની અનુભૂતિ કરાવે છે.

Evening Aarti (સાંજ આરતી): 7:00 PM
શિવજીની સાથે દિવસ પૂર્ણ કરો સાંજ આરતીના પવિત્ર જ્યોત સાથે. આ આરતીમાં જોડાઈને ભક્તિ અને શાંતિનો અનુભવ કરો, જે શિવજીના ચરણોમાં આધીન છે.

Special Events / ખાસ કાર્યક્રમો

આવો અને શ્રી પીપળેશ્વર મહાદેવ મંદિરના વિશેષ તહેવારો અને કાર્યક્રમોમાં ભાગ લઇ શિવજીના ચરણોમાં ભક્તિનો અનોખો અનુભવ મેળવો. ખાસ આયોજનમાં હવન, મહાપૂજા, શિવલિંગ અભિષેક, ભજન-કીર્તન અને આરતીના દિવ્ય દ્રશ્યોનો આનંદ માણો. આ ખાસ દિવસો તમારા જીવનમાં નવી આશા.

MahaShivratri (મહાશિવરાત્રી): 9:00 AM to 2:00 PM
ભક્તિ અને ભાવે શિવજીની વિશેષ પૂજા માટે મહાશિવરાત્રીના પવિત્ર દિવસે શ્રી પીપળેશ્વર મહાદેવ મંદિરમાં જોડાઓ. આ શુભ દિવસે શિવજીના આશીર્વાદ મેળવી આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરો.

Every Amas (દર અમાસ): 9:00 AM to 2:00 PM
શિવજીના ચરણોમાં અમાસના પવિત્ર દિવસે પ્રભુની કૃપા પ્રાપ્ત કરવા વિશેષ પૂજા અને અભિષેકનું આયોજન થાય છે. ભક્તિપૂર્વક આ પ્રસંગોમાં જોડાઈને શિવજીના આશીર્વાદ મેળવો.

Visitors Information / મંદિર મુલાકાત માહિતી

Temple Timings / મંદિરના સમય

શ્રી પીપળેશ્વર મહાદેવ મંદિરમાં દર્શન અને આરાધનાના પવિત્ર પળોમાં ભાગ લેવા માટે મંદિરના નિયત સમયનું પાલન કરવામાં આવે છે. ભક્તિ અને શાંતિના આ પવિત્ર સ્થળે તમારા દિવસની શરૂઆતથી અંત સુધીના સમયનો આનંદ.

Opening Time (મંદિર ખૂલવાનું સમય): 7:00 AM
શ્રી પીપળેશ્વર મહાદેવના પવિત્ર દર્શન માટે સવારે મંદિરના દ્વાર ખૂલે છે. આ સમયે ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરીને તમારું દિવસ પવિત્ર બનાવી શકો છો.

Closing Time (મંદિર બંધ થવાનું સમય): 8:00 PM
મંદિરના શાંતિમય વાતાવરણમાં આખો દિવસ વિતાવી સાંજે મંદિરના અંતિમ દર્શન માટે પધારો. શ્રી પીપળેશ્વર મહાદેવના ચરણોમાં ભક્તિપૂર્ણ અંતિમ પળોનો આનંદ માણો.

Temple Address / મંદિરનો સરનામું

Shri Pipleshwar Mahadev Mandir V9GJ+PPW, Korda Gadha Road, Santalpur, Patan District, Gujarat, 385360

Landmark Near the Temple / મંદિર નજીકના પ્રખ્યાત સ્થળો

The temple is on Korda Gadha Road, near Varahi village in Patan District, offering easy access for visitors.

મંદિર કોરડા ગઢા રોડ પર, પાટણ જિલ્લાના વરાહી ગામની નજીક આવેલું છે, જે મુલાકાતીઓ માટે સરળતાથી પહોંચી શકાય તેવું છે.

Direction to the Temple / મંદિર સુધી પહોંચવાના માર્ગ

Contact Us for Assistance / સહાય માટે અમારો સંપર્ક કરો

શ્રી પીપળેશ્વર મહાદેવજી મંદિરની મુલાકાત માટે જો તમને કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય, તો અમારો સંપર્ક કરવા માટે નિઃશંક રહો. અહીં અમારી ટીમ તમને વિવિધ પ્રકારની મદદ પ્રદાન કરવા માટે હંમેશા તૈયાર છે.

મંદિરે પહોંચવા માટે, દિશાઓ અને મુસાફરી સંબંધિત તમામ માહિતી તમે સરળતાથી મેળવી શકો છો. જો તમને યોગદાન વિશે માહિતી જોઈતી હોય, તો તમે મંદિરના વિકાસ અને દૈનિક વિધિઓ માટે કેવી રીતે દાન કરી શકાય તે અંગેની વિગતવાર માહિતી મેળવી શકો છો.

મંદિરના વિધિ સમય, વિશેષ કાર્યક્રમો અને અહીં ઉપલબ્ધ સુવિધાઓ વિશે પણ તમને સ્પષ્ટ અને સરળ સમજ આપવામાં આવશે.

તમારા પ્રશ્નોના નિવારણ માટે અમારો સંપર્ક કરો અને તમારું મંદિરના પ્રવાસને શાંતિમય અને આધ્યાત્મિક બનાવો. હર હર મહાદેવ!
 
Rajesh Kanabar
9898752644
Jasbubhai Kanabar
9825455937
Mrugeshbhai Kanabar
8160304034
Yuvrajsinh Jadeja
9824342456